Sunday, 6 September 2009

હાદસાતસે બચનેકા વઝીફા કા તર્જુમા

અય અલ્લાહ તુ મેરા રબ હૈ, તેરે સીવા કોઈ મઅબુદ નહી, તુજ હી પર મૈને ભરોસા કીયા, ઔર તુ અર્શે કરીમ કા રબ હૈ. જો અલ્લાહને ચાહા હુઆ, ઔર નહી ચાહા નહી હુઆ, ઔર નહી કોઈ ઝોર ઔર નહી કોઈ તાકાત મગર અલ્લાહ બુઝુર્ગ બરતર અઝમતવાલે કી, મૈ જાનતા હું કી બેશક અલ્લાહ તઆલા હર ચીઝ પર કાદીર હૈ ઔર તહકીક અલ્લાહ કા ઈલ્મ હર શૈઅકો મહીત હૈ, અય અલ્લાહ મૈ તુજસે પનાહ માંગતા હું, અપને નફસકી હર બુરાઈસે, ઔર હર જાનદારકે શર સે, ઈસકી પૈશાની તેરે કબ્ઝેમે હૈ. યકીનન મેરા રબ સિરાતીમ મુસ્તકીમ પર હૈ.

Saturday, 5 September 2009

ઈસ્લામ ધર્મ માં એક સાચા મુસલમાન માટે આ છ નિયમો પાળવા અનિવાર્ય છે.(1) એકેશ્વરવાદ : ઈશ્વરની એકતામુસ્લિમો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસ્લિમો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે. (2) રસાલત(ભવિષ્યવાક્ય)ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યશાયાહ, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મોહંમદ છે. નબીને અલ્લાહે ભવિષ્યકથનની શક્તિ આપી હોય છે. હારૂન, નબી, સુલેમાન વગેરે નબી ગણાય છે. (3) ધર્મ પુસ્તક મુસ્લિમો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ.(4) ફરીશ્તા (અરબીમાં મલાઈકા)ફરીશ્તા પવિત્ર અને ખાલિસ રોશની (નૂર)થી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે, ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદા જુદા સમયે જુદી જુદી રીતે દેખાય છે. (5) કયામતનો દિવસમુસ્લિમોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાને હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે. (6) નસીબમુસ્લિમ હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના ન થઈ શકે.

Wednesday, 25 February 2009

HUZUR(S) ne farmaya Qayamat me sabse zyada mujhse wo shakhs Qarib hoga jo mujh par
kasrat se DURUD bhejta hai(TIRMZI)

Thursday, 12 June 2008

અસ્સ્લમુઅલયકુમ વ.વ.,
“અલહમ્દુ લિલ્લાહી રબ્બીલ આલમીન વલ આકીબતુ લીલ્મુત્તકીન વસ્સલાતુ વસ્સ્લામુ અલા સય્યદીલ મુરસલીન”
અલ્લાહ તઆલાના ફઝલો કરમ અને મદદ તથા ઈનાયત વગર ન ગુનાહથી બચી શકાય છે અને ન નેકીઓ થઈ શકે છે. અમે અલ્લાહ તઆલાની હમ્દ ષના કરીએ કે તેણે અમો મુસલમાનોને કામીલ નેઅમતો અને ફઝલથી નવાઝ્યા, અને તમામ ઉમ્મતોમાં બહેતર ઉમ્મતમાં મોકલ્યા અને અમારી તરફ એવા નબી(સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ને મોકલ્યા જે ફખરૂલ અમ્બીયાં અને સય્યદુલમુરસલીન છે. વસલ્લાહુ તઆલા અલય.
બાદ હમ્દ સલાત જણાવ્વાનુકે આ ફીત્નાઓનાં દૌરમાં મુસલમાન ફીત્નાનો શીકાર બનતોજ રહે છે. કોઈ માલના ફીત્નામાં, કોઈ પોતાના વર્ચસ્વના ફીત્નામાં, કોઈ ઔલાદના ફીત્નામાં, કોઈ અભીમાનના ફીત્નામાં, કોઈ હસદ-અદાવતના ફીત્નામાં, રચ્યોપચ્યો રહે છે. એના કારણે તે ભુલી જાય છે કે તે મુસલમાન છે અને તે એવા નબી(સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)નો ઉમ્મતી છે જે દુનીયામાથી આ બધા ફીત્નાઓ દુર કરવા માટે આવ્યા હતા. અને આજે અમો એ જ ફીત્નાઓને પોતાની જીદંગીનો મોટૉ હીસ્સો બનાવી પોતાનુ અને સમાજનુ નુકસાન કરી રહ્યા છીએ. જરા સોચો ! આનાથી અલ્લાહ તાઆલા કેટલો નારાઝ થતો હશે. સરકારે દોઆલમ (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ને કબરે અત્થહર મુબારકમાં કેટલી તકલીફ પોહચતી હશે. મુસલમાનની આ શાન નથી કે તે આકા (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ને તકલીફ પોહચાડે, આજે મુસલમાન દીને ઈસ્લામથી જેટલો દુર થતો જાય છે અને નબી (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ની સુન્નતોનુ છડેચોક ઉલઘંન કરે છે એટલે અલ્લાહ તાઆલાએ જે કામો કરવાના કહ્યા છે તે કરતાં નથી તો અલ્લાહ તાઆલા પણ અમને નહી કરવાના કામોમાં નાંખી દે છે. જેમકે ઝુટ, ગીબત, ફીત્નાઓમાં, ટંટો-ફસાદ, લડાઈ ઝગડા, બીદઅત,ગુમરાહી અને શીર્કમાં મુબ્તલા કરી દે છે. જેનાથી અમારી દુનીયા અને આખેરત ખરાબ થાય છે. માટે ભાઈઓ જરા વિચારો ! અને પોતાની જાત ઉપર રહેમ ખાઓ અને અલ્લાહ તાઆલાનાં હુકમ અને રસુલ્લુલ્લાહ (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)નાં તરીકાઓને પોતાની ઝીંદગીમાં અપનાવો જેથી અમારી દુનીયા અને આખેરત ખુશહાલ બને.
શૈતાન એ અમારો મોટો દુશ્મન છે. અને તે અલગ અલગ તરીકાથી માનવજાતને ઈમાન અને યકીન થી દુર કરવાની તરકીબો કરતો રહે છે. જેથી અમે જન્નતવાળા રસ્તાથી હટીને જહન્નમવાળા રસ્તા તરફ વળી જઈએ. અને અમારી દુનીયા અને આખેરત ખરાબ થાય. તે અમને એવા એવા કામો અને ગુનાહોમાં પરોવી દે છે. જેને અમે ગુનાહ સમજતા જ નથી. અને આગળ જઈને તે મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે. અને છેવટે લડાઈ ઝગડો અને ખુના મરકી સુધી પોહચાડી દે છે. જેના પરીણામો અમારે જ ભોગવ્વાના રહે છે.
બીજો અમારો મોટો દુશ્મન અમારો નફ્સ છે. જે અમારી અંદર રહીને અમને બરબાદ કરે છે. અભિમાન, ગુસ્સો, લાલચ, ઈર્ષા વગેરેથી અમારો અંદરથી બગાડો કરે છે. અને તેના પરિણામો પણ અમારે જ ભોગવ્વાના રહે છે.
આજે અમે દીનનાં તાબે થવાના બદલે દીનને અમારા તાબે કરવામાં લાગી પડ્યા છે, જેને લીધે આ બધી મુસીબતો ઊભી થતી હોય છે. જરા જરા વાતમાં લડાઈ, કોઈ વાતની પુરેપુરી જાણકારી લીધા વગર બેધડક એક બીજા ઉપર આક્ષેપ કરી નાંખવો. રીશ્તા નાતા તોડી નાખવાં, પછી અલ્લાહની મદદ ક્યાથી અમારી સાથે હોય? શું કામનું એવુ એજ્યુકેશન? અને શું કામની અમારી હોશયારી? જરા સોચો ! જરા વિચારો ! કે અમે ક્યા જઈ રહ્યા છે. હજુ પણ સમય છે. અલ્લાહ તાઆલાને મનાવી લો અને હુઝુર (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ની સુન્નતોને પોતાની ઝીદંગીમાં મુહબ્બતની સાથે ઉતારી લો, પછી જુઓ કેવી કામ્યાબી અને ખુશાલી જીવનમાં આવે છે અને અમારો સમાજ બીજાઓ માટે પ્રેરણારૂપ બનશે
અને જે અદંરોઅંદર એકબીજાને લડાવે છે. તથા પરદા પાછળ રહીને આખા સમાજ પર વાર કરે છે તે તો શૈતાનનો ભાઈ છે. તે ઝાલીમ ઉપરતો અલ્લાહની લાનઅત ઉતરે છે. જેના લીધે તેની દુનીયા અને આખેરત બન્નેવ બરબાદ થશે. માટે મારા ભાઈઓ આવા ઝાલીમોની વાતોને ધ્યાનમાં ન લેતા સબર ઈખ્ત્યાર કરો અને અલ્લાહથી જ મદદ તલબ કરતાં રહો અલ્લાહ બેહતર મામલો ફરમાવશે.
અને સમાજનાં બુર્ઝુગો, આગેવાનો જ્યારે જ્યારે આપણા સમાજમાં કોઈ ટંટો-ફસાદ કે લડાઈ ઝગડા ઊભા થાય છે,ત્યારે તેને દુર કરવા તન-મન-ધનથી પ્રયત્નો કરતાં જ હોય છે, અને એની સાથે જો ઉલેમાઓથી તેના નીકાલ માટેનાં સલાહ મશવેરા કરીશુ, તથા દરેક કાર્યમાં એઓ હઝરાતે કીરામની રહબરીમાં રહીશું તો એમના ઈલ્મથી સમગ્ર સમાજને નુરવંતો ફાયદો થશે
માટે મારા અઝીઝો જે કામો કરવાના અલ્લાહ તાઆલાનો હુકમ છે, તે જાણકારોથી જાણો અને એમા આપણી ન ચલાવતા એ હુકમોને પુરા કરો, અને હુઝુર (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ની સુન્નતોને અઝમતની સાથે અપનાવો તો જ દુનીયા અને આખેરતમાં કામીયાબ થઈશુ નહી તો આખી જીદંગી ભય, ફીત્ના, ટંટો-ફસાદ, લડાઈ ઝગડા, બીદઅત,ગુમરાહી અને શીર્કમાં સબડતાં રહીશુ, અને આખેરતમાં પણ અઝાબે ઈલાહીનાં મુસ્તહીક થઈશુ. અલ્લાહ અમને દીને ઈસ્લામની સહી સમજ આપે અને અમલની તૌફીક આપે.(આમીન)